Sunday, December 19, 2010

" શ્રી શેષશાયી નું ધોળ "

       " શ્રી શેષશાયી નું ધોળ "

શ્રી નર્મદાજી તટ ઉપરે ચારૂ ચંડી રે ગ્રામ,
               મહિમા વખાણું સ્થળ તણો, સમોવડ વૈકુંઠધામ (૧)
એક સમે સુર વિનતી, સાંભળી ને રે શ્રીનાથ,
               ક્રોધ કરીને ઉઠીયા, ચક્રધારી નિજ હજ હાથ (૨)
તલ મેઘ અસુર ને મારિયો, ફેડ્યો દુષ્ટ નો ઠામ,
               ચક્ર સુદર્શન નું વપુ, તેથી દીઠું રે શ્યામ (૩)
શાંકરી સલીલ સૂચી ઘણું, આવી પખાડ્યું તે માંહે (૪) 
               ચક્રે તીર્થ તે દિવસ થકી, સહુ કોઈ કહે છે રે ત્યાહે (૫)
તે દિનના દીનાનાથ, બિરાજે છે ચંડી રે પુર
               નિજ જન ને સુખ આપવા, દુખ અઘ કરવા રે દુર (૬)
શોભા શી વરણું શ્રી અંગની, નાખ શીખ સુંદીર રૂપ,
               શંખ ચક્રે ગદા પર ધરી, પોઢ્યા ભવનારે ભૂપ (૭)
મસ્તક જર કશી ઢળકતી રે, પાંપણે ઉપર પાઘ,
               કેશરી તિલક સોહામણું, ઉર ભ્રગું લાંછન ડાઘ (૮) 
નાસિકાએ નથ વેસર, કુંડળ ઝળકે રે કાન,
               ચિબુક ચારૂ ને વારૂ વેળિયું, શોભે છે ભીને વાન (૯)
શોભે ગળે ગળું બંધને, હેમ મુક્તાફળ માળ,
               બાહે બાજુ બંધ બેરખા, કનક કંડા છે રસાળ (૧૦)
પીંતાબર કટી મેખળા, નેપૂર વાજે રે પાય,
                અંગો અંગ અતિ માધુરી, મન જાય મન લોભાય (૧૧)
ચરણ સેવા કમળા કરે, શેષ ઉપર કર્યું શેન,
                શાંત સ્વરૂપ શ્રી નાથનું, કરૂણા ભરેલા બે નેન (૧૨)
શ્રી શેષશાયી જળશાયી, નારાયણ એમનું નામ,
                લોક પિતા શ્રી મહાલક્ષ્મી પતિ, શ્રી હરિ પુરણ કામ (૧૩)
નટવર નંદકુંવર, શ્રી પુરુષોત્તમ શ્રી વૃજરાય,
                નિર્મળ યશ એવા નાથના, જન દયાશંકર ગાય (૧૪)
                                                 -    ભક્ત કવિ શ્રી દયારામ ( ચાંદોદ )
                                નર્મદે હર !

Sunday, December 12, 2010

શ્રી શેષનારાયણ પ્રાગટ્ય મહોત્સવ મહાત્મ્ય

સ્કંદ પુરાણ ના રેવા ખંડ ના ૯૦ માં અધ્યાય પ્રમાણે તીલ્મેઘ નામ ના દેત્ય નો વધ કરીને શ્રી વિષ્ણુ જયારે પોતાનું સુદર્શન ચક્ર ને ઘણા તીર્થો માં અજવાળ્યું પણ તે ઉજળું થયું નહિ, અંતે જયારે પાવન પવિત્ર નર્મદા નદી માં અજવાળ્યું ત્યારે પેહલા ના કરતા પણ તેજસ્વી થઇ ગયું. આ સુદર્શન ચક્ર શ્રી વિષ્ણુએ મોક્ષદા એકાદશી ના દિવસે અજવાળ્યું હતું તેથી તીર્થ નો પ્રભાવ જોઈ ને શ્રી વિષ્ણુએ શ્રીમુખે કહ્યું હતું કે આજ થી આ સ્થળ ચક્રતીર્થ ના નામથી પ્રસિદ્ધ થશે, અને પછી ખુબ પરિશ્રમ થવા થી શ્રી વિષ્ણુ ક્ષીરસાગર જવા ને બદલે ચાંદોદ માં આવેલ આ ચક્રતીર્થ ના કાંઠે શેષનાગ ને શૈયા પર શ્રી લક્ષ્મીજી સાથે શયન કર્યું અને જળ માં પોઢી ગયા.તેથી તે દિવસ થી પૃથ્વી પર આ તીર્થ જલશાઈ શ્રી શેષશાઈ તીર્થ તરીકે પ્રશિદ્ધ થયું.ત્યાર પછી, કલયુગ માં માનવ કલ્યાણ હેતુ શ્રી વિષ્ણુ માગસર સુદ ૧૧ ના શુભ દિવસે જે સ્થળ પર પોઢી ગયા હતા ત્યાં પ્રકટ થયા.તે દિવસ થી તે શ્રી શેષનારાયણ ના નામ થી પ્રશિદ્ધ થયા.
આજ થી ઘણા વર્ષો પેહલા સંખેડા ના શ્રીમંત ગાયકવાડ મહારાજે ચાંદોદ માં ભવ્ય મંદિર બંધાવી ને શ્રી શેષનારાયણ ને મંદિર માં પધરાવ્યા. માગસર સુદ ૧૧ કે જેને મોક્ષદા અગિયારશ કેહવાય છે તે દિવસે ચાંદોદ ના આ શેષનારાયણ મંદિર માં શ્રી શેષનારાયણ પ્રભુ નો પ્રાગટ્ય મહોત્સવ દર વર્ષે ખુબ શ્રદ્ધાપૂર્વક અને અનેરા આનંદ થી ઉજવાય છે.તે દિવસે ચાંદોદ અને કરનાળી ગામ ના લોકો શ્રી નર્મદાજી ના બીજા ઘટે સ્નાન ના કરતા આ ચક્રતીર્થ ના ઘટે સ્નાન કરે છે.રેવા ખંડ માં કરેલ વર્ણન પ્રમાણે જે વ્યક્તિ આ દિવસે શ્રી શેષશાઈ નું પંચામૃત વડે સ્નાન કરાવે છે અને એમના દર્શન કરે તેમને વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે મંદિર ના પૂર્વ ભાગ માં આવેલ યજ્ઞકુંડ પાસે સવાર થી સાંજ સુધી શ્રી વિષ્ણુયાગ ની પૂજા થાય છે.જેમાં સંસ્કૃત પાઠશાળા ના વેદોક્ત બ્રામણઓ દ્વારા ૧૦૦૮ શ્રી વિષ્ણુસહસ્ત્ર ના પાઠાત્મક હવાનઆદિ પૂજા કર્મ થાય છે.જેમાં ચાંદોદ ગામ ના તથા આજુબાજુ ના ગામલોકો
શ્રદ્ધા પૂર્વક ભાગ લેછે. આ સમયે ત્યાં બેસી ને વેદોક્ત બ્રામ્હનો દ્વારા બોલાતા આ શ્રી વિષ્ણુસહસ્ત્ર ના પાઠ ને સંભાળવા નો આનંદ અનેરો છે.

જય શ્રી શેષનારાયણ.

Thursday, December 2, 2010

Shri Sheshnarayan Temple

Shri Sheshnarayan Temple is located in Sacred town in Vadodara district of Gujarat State.This temple is 450 years ago constructed by Shri Govindrao Gaikwad near bank of Holy river Narmada.This temple is on highest place in town area.In temple black marbled statue of Shri Sheshnarayan is lay down.This statue of Sheshnarayan is self manifested from Chankrapani Ghat at Narmada river.This temple has 6000 sq.ft area.Worship of Sheshnarayan is followed by Pustimargiya & eternal vaidik bramhin tradition.All festival is enjoyed with full devotional way like Diwali annkut,Vishnuyag,Janmastami,Rathyatra,Tulsi vivah etc.Temple is registered in Gujarat govt.& maintained by Sheshnarayan Temple Trust based at Chandod.This temple has young well cultured Sheshnarayan Seva Samiti with the motto to develop this temple with full efforts.

Chandod is a holy pirlgrimage place in Gujarat at the bank of river Narmada.Chandod is well known as a Town of Temple.One will find lots of Temple of Shiva, but among them few are of Lord Vishnu.Here, Shri Sheshnarayan is one of the Lord Vishnu's Temple.Due to its ancient history its famous in Gujarat a "Moksh dham" in Vaishnavjan.